“ઘૂંટણના દુખાવાના કારણે મારું જીવન ધીમું પડી ગયું હતું. પહેલા જ્યાં હું આખો દિવસ સક્રિય રહેતો, હવે બેડમાંથી ઊઠવું પણ ભારે લાગતું. પરિવાર પર નિર્ભર થવું પડતું અને એ મારી માટે સૌથી મોટું દુઃખ હતું.
ઘણા ડૉક્ટરો બતાવ્યા, દવાઓ લીધી, પણ રાહત નહોતી. પછી મને ડૉ. હિતેશ કુકડિયા વિશે ઇન્ટરનેટ પરથી ખબર પડી. જ્યારે તેમની સાથે મુલાકાત કરી, ત્યારે તેમની સમજાવટ અને સહાનુભૂતિ જોઈ મનમાં વિશ્વાસ જન્મ્યો.
તેમણે મને Knee Replacement Surgery કરવાની સલાહ આપી. શરૂઆતમાં ડર લાગતો, પણ ડૉ. સાહેબના વિશ્વાસ અને અનુભવથી હિંમત આવી.
સર્જરી પછીના થોડા અઠવાડિયામાં જ હું ચાલવા લાગ્યો, અને આજે તો હું સવારે યોગ કરું છું, સાયકલ ચલાવું છું, અને પરિવાર સાથે બહાર ફરવા જાઉં છું.
મારા માટે આ સર્જરી જીવનનો ટર્નિંગ પોઇન્ટ બની. હવે હું કોઈના સહારે નહીં – પોતે ઉભો રહી શકું છું.
ડૉ. હિતેશ કુકડિયા મારા માટે ડૉક્ટર નહીં, પણ આશાની નવી કિરણ છે.“